ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય
કોઈએ સાચું જ કહ્યું છે, આપણો જન્મ આપણા માતા પિતાને આભારી છે, પણ આપણું જીવન આપણા ગુરુને આભારી છે.
આપણી ભારતીય સંસ્કૃતિ ઋષિ-મુનિઓની અને ગૃરુકુલ પરંપરાને વરેલી સંસ્કૃતિ છે. પ્રાચીનકાળથી જ ભારતીય સમાજ વ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થા પર ગુરુઓનો પ્રભાવ રહ્યો છે.સામાન્ય લોકો અને મોટા મોટા ચક્રવર્તી રજાઓ પણ ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવીને પોતાનું રાજકાજ ચલાવતા. ગુરુ સાંદીપની, ગુરુ દ્રોણ, ગુરુ પરશુરામ વગેરે આજે ઇતિહાસમાં અમર છે. અને એટલે જ ભારતીય સંકૃતિમાં ‘ગુરુદેવો ભવ:’ એમ કહીને ગુરુને ઈશ્વરનું સ્થાન આપવામાં આવ્યું છે. અને આવા જીવનપથને ઉજ્વળ બનાવતા ગુરુઓનું ઋણ ચુકવવા માટે દર વર્ષે અષાઢ સુદ પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.
આ ગુરુપૂર્ણિમા નિમિતે સ્ટોરીમિરર લઈને આવે છે, ગુરુનું ઋણ ચુકવવા માટે એક અનોખી લેખન સ્પર્ધા : ગુરુવંદના આ સ્પર્ધામાં આપ આપના જીવનમાં પ્રભાવ પાડનાર અને માર્ગદર્શન આપનાર આપના સામાજિક ગુરુ, આધ્યાત્મિક ગુરુ, શૈક્ષણિક ગુરુ (શિક્ષક)ની વાર્તા કે કવિતા થકી ગુણગાન ગાઈ તેમની ગુરુવંદના કરી શકો છો.
નિયમો :
· આપની રચનામાં ગુરુનો (શિક્ષક) મહિમા વ્યક્ત થતો હોવો જોઈએ.
· આપની રચના મૌલિક અને સ્વરચિત હોવી જોઈએ.
· આપ વાર્તા કે કવિતા અથવા બંને કેટેગરીમાં ભાગ લઇ શકો છો.
· આપો એક કરતાં વધારે ચાહો તેટલી રચના મૂકી શકો છો, શબ્દોની પણ કોઈ મર્યાદા નથી.
· હસ્તલિખિત, પીડીએફ, ફોટોકોપી કે સ્પર્ધાની લીંક વગર મુકાયેલી રચના સ્પર્ધા માટે માન્ય ગણાશે નહિ.
· ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.
· વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે, જે સૌને માન્ય રહેશે.
ઇનામ :
· ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલાનું પ્રમાણપત્ર
· શ્રેષ્ઠ ૩ વાર્તા અને શ્રેષ્ટ ૩ કવિતાના વિજેતાઓને અનુક્રમે રૂ. 200/- , 150/- અને 100/- ગીફ્ટ વાઉચર મળશે.
· શ્રેષ્ટ 15 વાર્તાઓ અને કવિતાઓને ઈ-બુકમાં સ્થાન મળશે.
· શ્રેષ્ઠ ૩ વાર્તા અને કવિતાના વિજેતાઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.
સાહિત્ય પ્રકાર :
વાર્તા
કવિતા
સમયગાળો : 10 જુલાઈ 2022 થી 20 જુલાઈ 2022
પરિણામ : 05 ઓગસ્ટ 2022
સંપર્ક :
વિષ્ણુ દેસાઈ : 97231 85603
Email : vishnu@storymirror.com