“ઉડતાં પુસ્તક” (૨૨/૦૯/૨૦૨૦ પછી સ્ટોરીમિરર પર નવા જોડાયેલા મિત્રો માટે જ)
“સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન સમાન છે”
“પુસ્તકો એ માનવીના શ્રેષ્ઠ મિત્રો છે”
“પુસ્તક પ્રેમી માણસ દુનિયામાં સુખી અને શ્રીમંત હોય છે”
ઉપરની કહેવતો સ્વાભાવિક રીતે જ માનવીના જીવનમાં સારા પુસ્તકોનું મહત્વ સમજાવી જાય છે. પુસ્તકો માનવીના જીવનમાં દીવાદાંડી સમાન છે. દુનિયાના દરેક સફળ માનવીના જીવનમાં કોઈને કોઈ પુસ્તકનું યોગદાન અવશ્ય રહેલું હોય છે.
પુસ્તકના આ મહત્વને ધ્યાનમાં રાખીને સ્ટોરીમિરર લઈને આવ્યું છે એક અનોખું અભિયાન, જેનું નામ છે ‘ઉડતાં પુસ્તક’.
આ અભિયાનનો લાભ સ્ટોરીમિરર પર નવી જોડાવાવાળી વ્યક્તિ લઇ શકે છે. આ
અભિયાન અંતર્ગત સ્ટોરી મિરર પર નવા જોઈન થવાવાળા જે મિત્રો ઓછામાં ઓછી ૧૦ કવિતાઓ અથવા ૫ વાર્તાઓ અથવા વાર્તા અને કવિતા મળીને ૭ સંયુક્ત રચનાઓ સબમિટ કરશે તો તેમને સ્ટોરીમિરર તરફથી એક પુસ્તક ભેટમાં આપવામાં આવશે.
નિયમો :
1. ભાગ લેનાર દરેક સ્પર્ધક સ્ટોરીમિરર પર નવા હોવા જોઈએ. (૨૨/૦૯/૨૦૨૦ પછી)
2. વ્યક્તિગત ધોરણે ઓછામાં ઓછી ૧૦ કવિતાઓ અથવા ૫ વાર્તાઓ અથવા વાર્તા અને
કવિતા મળીને ૭ સંયુક્ત રચનાઓ સબમિટ કરવી ફરજીયાત છે.
3. રચનાઓ આ સ્પર્ધા માટેની સ્પેશીયલ લીંક મારફત જ સબમિટ થયેલા હોવા જોઈએ.
4. આપની રચનાઓ મૌલિક હોવી જોઈએ, કોપી પેસ્ટ ચાલશે નહિ.
5. આ યોજના અંતર્ગત આખરી નિર્ણય સ્ટોરીમિરરનો રહેશે જે સુને માન્ય રહેશે.
સાહિત્ય પ્રકા૨:
વાર્તા
કવિતા
સમય આવધી :
૨૪/૦૯/૨૦૨૦ થી ૧૫/૧૦/૨૦૨૦
ઇનામ :
પુસ્તક