છે
છે
ન કોઈને પાનખર નડે છે, એતો
પર્ણો સુકાયેલ નીચે પડે છે,
ખીલવું ખરવું એ સૃષ્ટિનો નિયમ છે,
કોઈ પડે તોજ કોઈ ઉપર ચડે છે,
જીવનની વસંતમાં જે ભરપૂર જીવ્યા
જીવન સંધ્યા એના ખોટાં રડે છે
મનમાં વસંત તો કાયમ રહેછે,
તો વય વધવાના વિચારોમાં શાનેસડે છે
એ જ સાચી જીવનની પાનખર છે,
જ્યારે બુદ્ધિ હૈયા સંગ આવી લડે છે.