તુલસીનો એનેરો મહિમા
તુલસીનો એનેરો મહિમા
તુલસીનો એનેરો મહિમા
આંગણમાં છે મારું ખાસ મહત્વ,
પૂજા અર્ચનામાં મારો સમાવેશ થાય
હિન્દુઓનું પ્રથમ અને પવિત્ર છોડ,
મારા દરેક પાંદડામાં છે અનન્યતા અને વિશિષ્ટતા
જડીબુટ્ટીઓની રાણી તરીકે વિખ્યાત,
શ્રેષ્ઠ વનસ્પતિના ગુણ છે મારામાં
છપ્પન ભોગને ચરણામૃતમાં મારું સ્થાન,
હું વિષ્ણુની પરમ ભક્ત છું.
મને તુલસી માતા પણ કહેવાય,
મારા લગન શાલિગ્રામ સાથે કારતક સુદ એકાદશીના થયા
મારો પર્વ સર્વશ્રેષ્ઠ ગણાય,
મારો છે અનેરો મહિમા.