શિક્ષક
શિક્ષક
શિક્ષક બનતાં પહેલાં પોતે વિદ્યાર્થી બનવું પડે, શિક્ષક બનતાં પહેલાં પોતે શિસ્તબદ્ધ બનવું પડે. શિક્ષક બનતા પહેલા પોતે એક નાના બાળક પણ બનવું પડે છે. વિદ્યાર્થીના મનને સમજવા માટે પહેલા પોતે એક વિદ્યાર્થી બનવું પડે છે.હરેક ચેલેન્જ સામે ઉભા રેવાની તાકાત હોય તો જ તો તમે શિક્ષક બની શકો છો. દરેક ભેદભાવ કોઈ હોશિયાર હોય કે કોઈ ભણવામાં નબળો હોય, ભેદભાવ છોડીને આચરણ સદા શુધ્ધ રાખીને,શિક્ષક બનતાં પહેલાં સમદ્રષ્ટિ કેળવવી જ પડે.
ટાઈમ ટેબલ શિક્ષકે પહેલા પાડવા પડે છે, નિયમિતતા અને સ્વચ્છતાનું આચરણ કેળવીને, શિક્ષક બનતાં પહેલાં નિતિમત્તા જાળવવી પડે. જેવી રીતના એક શિલ્પકાર મૂર્તિ બનાવે છે ગુરુએ પણ બાળકનું ઘડતર અને ચણતર બંને ધ્યાનમાં લઈ,
નીત-નવાં પડકારો ઝીલતાં પણ શીખવવું જ પડે. જુના નિયમો મૂકીને થાકયાં વિના શિષ્યને જ્ઞાનથી સજ્જ કરવા માટે,
નવી ટેકનોલોજી સાથે ડગ માંડતાં શીખવવું પડે.
હંમેશા સત્ય માર્ગ પર ચાલે તો એના વિદ્યાર્થીઓ પણ સત્યનો માર્ગ અપનાવી પડકારો ઝીલતાં ઝીલતાં, બદલાતાં જીવનપ્રવાહ સાથે ચાલતાં શીખે. શિક્ષકે વિદ્યાર્થીને એવો જ્ઞાન આપવું જોઈએ કે વિચારશીલ બની વિશ્વમાં અડીખમ ઉભાં રહે.