ગઝલો લખાતી
ગઝલો લખાતી
આપતી તાકાત આ મારી હયાતી,
શ્વાસની સુગંધથી ગઝલો લખાતી,
તાલ લય ને સૂર સંગત જો મળે તો,
ગાલગાગા છંદબદ્ધ એ તો ગવાતી,
ભાવ દિલના કાગળે ઉતરે કલમથી,
તો દુઆઓ પ્રેમ શ્યાહીથી અપાતી,
આ વિરહની વેદનાઓ કોતરીને,
રાત શેરો શાયરી લખતાં કપાતી,
ને પઠન માટે અધીરા હોઠ જાણે,
શ્વેત પૃષ્ઠે જો એ છાપામાં છપાતી,
શોધવા મન શાંતિ રચનામાં ઉતારી,
‘દિવ્ય’સમ સંવેદના દિલથી મપાતી.