જો
જો
નવરાત્રીના નવ નવ દિવડા જો
માતાજીને આરતીના થાળ જો,
લીલા રંગથી ઉજવીએ તહેવાર જો
પ્રકૃતિને સંગ સાચવીએ વ્યવહાર જો,
હરિયાળીથી થાય સૌનો ઉદ્ધાર જો
માના મળે સૌને નિત આશીર્વાદ જો,
પ્રકૃતિ નવ નવ રંગોથી ખીલે જો
સુંદરતામાં અપાર વૃદ્ધિ થાય જો,
ગરબે ગરબે નવ નવ રંગ પ્રકટે જો
માના ગરબાની રમઝટ જામે જો.