શિક્ષણ
શિક્ષણ
કેળવણી મેળવા ઉંમરની ક્યાં જરૂર હોય છે. શીખેલું ક્યાંય જતું નથી રહેતું. શિક્ષણના પ્રેરણા પુષ્પો વરસતા વરસાદમાં ભીંજાતા હોય છે. શીખેલું શિક્ષણ આજીવન કામમાં આવે છે. શિક્ષણથી આવડત મળે છે અને જિંદગીથી અનુભવ પ્રાપ્ત થાય છે.
શું ખબર જિદંગી ક્યારે પાસું પલટી નાખે અને તમારી આવડત ને અનુભવ લોકોને કામ આવે. આપણે શીખેલી કેળવણી કોઈ એક નિરીક્ષકને કામમાં આવે તો પણ જીવન ધન્ય બની જાય છે.
જીવન કેટલું જીવો છો એ મહત્ત્વનું નથી પણ કેટલું જીવો છો એ મહત્ત્વનું છે. પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પણ બીજા માટે કંઇક કરી છૂટવાની ભાવના હોય એક આદર્શ નાગરિક બનાવવા તીવ્ર ઈચ્છા હોય. આજ કાલનું શિક્ષણ બસ પુસ્કતલક્ષી બની રહ્યું છે પણ શિક્ષણ એવું હોવું જોઇએ કે તેને બસ ભણતરમાં જ નહિ પણ જીવન જીવવામાં ઉપયોગી બને એવું હોવું જોઈએ.
ક્યારેક જીવનમાં હાર પણ મળે તો પણ તે સતત મહેનત ને પરિશ્રમથી નસીબ ઉજ્જવળ ભવિષ્ય ચમકે છે.