શાંતિ અનુષ્ઠાન
શાંતિ અનુષ્ઠાન
આસો મહિનાની નવરાત્રી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં દેવી સાધનાનું પણ ખૂબ જ મહત્વ છે. આ દિવસો દરમ્યાન ઘણા સાધકો દેવી માતાને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાન કરતાં હોય છે. એમાં પણ ગાયત્રી દેવીનું અનુષ્ઠાન કરતાં હોય છે.
નવરાત્રીની પ્રથમ રાત્રિ સ્કંધ માતાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એ નવદુર્ગાની નવરાત્રી છે. જે સાધકો દેવી અનુષ્ઠાન કરે છે એમાં ઘણા બધા વિશ્વમાં શાંતિ, સદાચાર, અને ભાઈચારાની ભાવના ફેલાય તેના માટે પણ પ્રાર્થના કરતાં હોય છે.