ગરીબીનો ગુનો
ગરીબીનો ગુનો
ગરીબી સાથે સંકળાયેલ સમસ્યાઓ અપરંપાર છે,
સમગ્ર દુનિયા માટે, ગરીબી સહુથી મોટો પડકાર છે,
માનસિક તેમજ શારીરિક અક્ષમતા લાવે છે, ગરીબી
ગરીબી જિંદગી પર કરે, ખૂબ પાશવી પ્રહાર છે,
ભૂખ્યો માણસ, કરી શકે છે, કોઈ પણ ગુનો
ગરીબીની મજબૂરી, ગુનો કરવા કરે લાચાર છે,
‘ગરીબની વહુ, સહુની ભાભી’, દર્શાવે છે, એટલું
ગરીબી બનાવે, કઈ હદે બેજાર છે,
ગરીબની શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા અને અમીરની અંધશ્રદ્ધા પણ છે, શ્રદ્ધા
ગરીબી અને અમીરી ઉપર, જિંદગીનો બહુ દારોમદાર છે,
ઉપેક્ષા, અપમાન અને ધિક્કાર બની રહે છે, રોજની વાત
ગરીબી જિંદગી માટે, બની રહે નર્કનો દ્વાર છે,
જે સમાજ નથી આપી શકતો, ગરીબીની ગુનાનો નિકાલ
તો એ સમાજ પણ, એક રીતે ગુનેગાર છે,
એ વાત છે, દમદાર, એ વાતમાં પણ અનોખી ધાર છે,
જે સમાજ નથી મિટાવી શકતો ગરીબી, એ સમાજ પણ ગુનેગાર છે.