મનનો મોતીચારો
મનનો મોતીચારો
જ્યાં ચહ્ન મન ગહ્યું મોતીચારો ચણવા,
છીપે બેઠું મોતી લાગ્યું ગીતડાં ગણગણવા.
એક દિન તો મન ગયું બાળક્રિડાંગણમાં,
હસતાં- રમતાં ફૂલો નીરખી હરખાયું એ પળમાં.
હરતાંફરતાં જઈ ચડ્યું એ વિકલાંગના તનમાં,
અટવાયું ને દ્રવી ગયું સંસારનાં વલણમાં.
દુ:ખી થાતું પહોંચ્યું એ તો ધનવાનના મહેલમાં,
મોહમાયાનું જંગલ જોઈ વ્યથિત થયું મન મનમાં.
મૂંઝાતું મન ચાલ્યું ત્યાંથી ગરીબના કૂબામાં,
સૂકી રોટી ખાતાં એ તો તૃપ્ત થયું પળભરમાં.
અહંકાર અફળાતો જોઈ માનવ સંબંધોમાં,
ઓટ આવે તે પહેલાં એ તો લાગ્યું સમન્વયમાં.