રામભક્ત હનુમાન
રામભક્ત હનુમાન
ચૈત્રી પૂનમે ધરતી પર પ્રગટ્યા, શ્રી રામભક્ત હનુમાન
કેશરી નંદન અંજની પુત્ર, શ્રી રામભક્ત હનુમાન
કલયુગમાં કષ્ટો દૂર કરવા, આવો હે મહાવીર
આપના બાળભક્તો વીનવે, શ્રી રામભક્ત મહાવીર
આપના સ્મરણે ભય ભૂત ભાગે, રક્ષા કરો મહાવીર
રામચંદ્રજીના પરમ ભક્ત, જય જય જય બજરંગબલી
રામભક્તનો મહિમા અપાર, સ્મરણમાં રહેતા હનુમાનજી
સુંદરકાંડના પાઠ થતાં, ઘરે ઘરે ગવાતા હનુમાન ચાલીસા
ચૈત્રી પૂનમે ધરતી પર પ્રગટ્યા, શ્રી રામભક્ત હનુમાન.
કેશરી નંદન અંજની પુત્ર, શ્રી રામભક્ત હનુમાન