યુદ્ધ
યુદ્ધ
યુદ્ધો તો અનેક થયાં આ સંસારમાં,
‘જર,જમીન ને જોરું ત્રણેય કજિયાના,
છોરું’ કહેવત સાચી પડી આજ સુધી,
રામાયણમાં લંકેશ-રામનું યુદ્ધ,
મહાભારતમાં કુરુક્ષેત્ર તણું યુદ્ધ,
સોમનાથ મહાદેવ મંદિર પર વિદેશી
સેનાનું આક્રમણ ને રક્ષા કરી મહેશે.
રક્તસમી નદીઓ વહી ચારે કોર,
પણ માનવ એ જ રહ્યો, ન સમજ્યો
કદી, આજ સુધી એ જ રફતાર.
ન સાંભળ્યું પોતાના મનનું કે ન
સાંભળ્યું વડીલવર્ગનું,
બસ યુદ્ધ યુદ્ધ ને યુદ્ધ,
શું આ જ છે પ્રગતિ દુનિયાની
જે જોઈ ન શકે બીજાની !