સાચું શ્રાદ્ધ
સાચું શ્રાદ્ધ
1 min
237
મહાદેવભાઈએ ગોર મહારાજને ફોન પર વાત કરી કે, " હલ્લો.. હું મહાદેવ બોલું છું, મારા પિતાને આ ભાદરવે શ્રાદ્ધમાં ભેળવવાનાં છે, તો જરૂરી વસ્તુઓનું લીસ્ટ આપી જવા વિનંતી, ખર્ચાની ચિંતા કરશો નહીં."
ગોર મહારાજ બોલ્યા, "વસ્તુઓમાં પૂજા અર્ચના માટેની થોડી સામગ્રી જ જોશે, જિંદગીનાં અંત સમયની તો આપને એમની ઈચ્છાની જાણ ન હોય ! પણ એમને જે ગમતું કરો એ જ સાચું શ્રાદ્ધ ."
ગોર મહારાજની આ વાત પર વિચાર કરતાં માતાનો ચહેરો નજર સામે તરવર્યો અને મહાદેવભાઈ કારની ચાવી લઈ તરત જ ઘર બહાર નિકળ્યા.