ઉષાનું પ્રાગટય
ઉષાનું પ્રાગટય
ઉષાનું પ્રાગટય જીવનમાં રોજ થાય છે. સુંદર સવાર નવા નવા સપનાઓ અને નવા વિચારો સાથે આવે છે આ જ વિચારોને સાકાર કરવા માટે આપણને પ્રોત્સાહન સૌથી વધુ આપણે કોની પાસેથી મેળવ્યું ? એ છે આપણાં પૂજ્ય શિક્ષક. જેણે ડગલે ને પગલે આપણને સાથ આપ્યો છે, ઉત્સાહ આપ્યો છે, બળ પૂરું પાડ્યું છે. આપણે તેમનાં જીવનભર ઋણી છીએ.
છતાં કેટલાં દોષી છીએ કે તેમનું ઋણ તો ચૂકવતાં નથી પણ તેમને યાદ પણ કરતાં નથી અને જીવનમાંથી જેને આદર આપવો જોઈએ એનો જ અનાદર કરીએ છીએ. ખરેખર શિક્ષક પ્રત્યે માન હોય તો તેમનો આભાર માનો તમને તમારી જિંદગીમાં ઊંચા સ્થાન પર પહોંચવા માટે પાયાનું કામ કરનારા એ શિક્ષકોને સન્માન આપો તો તમારું જીવન સાર્થક ગણાશે.